top of page

શિક્ષણ સહાય

ખરાબ અક્ષર અધૂરા કળાવળી ની નિશાની છે - મહાત્મા ગાંધીજી. આજના સમયમાં શિક્ષણનું મહત્વ ખૂબ વધી ગયું છે. અભણ માણસની કોઈ વિશાત નથી. શિક્ષણથી પોતાની બહેનો અલગ અલગ ક્ષેત્રોમાં પોતાનું નામ રોશન કરી રહી છે.

શિક્ષણથી બહેનો પુરૂષ સમોવડિયા બની રહ્યા છે. શિક્ષણ આજના સમયમાં ખૂબ જ જરૂરી બની ગયું છે. શિક્ષણ સહાય મેળવતી વિદ્યાર્થિનીઓ/વિદ્યાર્થીઓને તેમની કારકિર્દી નું ઘડતર કરે તેવા શિક્ષણ સહાય યોજનાનો મુખ્ય ઉદેશ્ય છે. મંડળ શૈક્ષણિક સહાયને પણ એટલું જ મહત્વ આપે છે. ઓછા આવકવાળા પરિવારો માટે આ શૈક્ષણિક સહાય (Educational Support) ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે. દર વર્ષે જૂન મહિનામાં ૧૨૦૦ની આસપાસ વિદ્યાર્થી/વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય માટે ફોર્મ આપી અને ૨૫૦૦ થી ૩૦૦૦ ની ફી શાળાના નામે ચેક આપી સહાય કરવામાં આવે છે. જરૂરતમંદ પરિવારો છેલ્લા ૪૫ વર્ષથી આ સહાય નો લાભ લે છે.

શ્રી જલારામ સત્સંગ મંડળ-મુલુંડ

  • Youtube
  • Whatsapp
  • Facebook
  • Instagram
bottom of page